/*credits : http://trick-blog.blogspot.com */ #tabshori { float:left; width:100%; font-size:13px; border-bottom:1px solid #2763A5; /*Under Line, you can change or delete it */ line-height:normal; } #tabshori ul { margin:0; padding:10px 10px 0 50px; /* Menu position*/ list-style:none; } #tabshori li { display:inline; margin:0; padding:0; } #tabshori a { float:left; background:url("http://blogoholic.info/files/menu/blackleft.gif") no-repeat left top; margin:0; padding:0 0 0 4px; text-decoration:none; } #tabshori a span { float:left; display:block; background:url("http://blogoholic.info/files/menu/blackright.gif") no-repeat right top; padding:5px 14px 4px 4px; color:#24618E; /*Text menu color*/ } #tabshori a span {float:none;} /* End IE5-Mac hack */ #tabshori a:hover { background-position:0% -42px; } #tabshori a:hover span { background-position:100% -42px; } you can change the bold text with other image, for example, if you want to chose my red menu image the code will be like this: background:url("http://blogoholic.info/files/menu/redleft.gif") no-repeat left top; background:url("http://blogoholic.info/files/menu/redright.gif") no-repeat right top;

Wednesday, February 18, 2009

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦

પાંચ + પાચ + પાંચ + પાંચ = ર૦ બાબતો
અઝદ કબીલાનું એક પ્રતિનિધિ મંડળ પયગંબર હઝરત મુહંમદ સાહેબની સેવામાં પધાર્યું.જેમાં કુલ સાત માણસો હતા. એમનો પહેરવેશ અને ચાલ ઢાલ પયગંબર સાહેબને યોગ્‍ય જણાંયાં .પયગંબર સાહબ - તમે કોણ છો ?કબીલા વાળાઓ - અમે મોમિન છીએ.પયગંબર સાહેબ - તમારા મોમિન હોવાનો મતલબ શું છે ?કબીલા વાળાઓ – અમે પંદર વાતોને અનુસરીએ છીએ, એમાંથી પાંચ વાતોની ( દિલથી માનવા) માન્‍યતા રાખવાનો અને બીજા પાંચ કામો કરવાનો આદેશ અમને તમારા જ માણસોએ આપ્‍યો છે. અન્‍ય પાંચ વાતો અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ.દિલથી માનવા અને માન્‍યતા રાખવાની પાંચ વાતો આ છે,૧ , અલ્‍લાહ ઉપર , ર, ફરિશ્‍તાઓ ઉપર , ૩ , અલ્‍લાહની કિતાબો ઉપર , ૪, અલ્‍લાહના રસૂલો ઉપર , ૫, અને મર્યા પછી આખિરત (પરલોકમાં ) ફરી જીવંત થવા ઉપર ઈમાન રાખવું, ( એટલે આ બધાના હોવા કે થવા ઉપર શ્રધ્‍ધા રાખવી.)જે પાંચ કામો કરવાનો અમને આદેશ છે તે આ છે, ૧, લા ઇલાહ ઇલ્‍લલ્‍લાહ કહેવું, ( એટલે કે ફક્ત એક અલ્‍લાહ હોવાનો એકરાર કરવો). ર, પાંચ સમયની નમાઝ પઢવી. ૩, ઝકાત આપવી, ૪, રમઝાન માસના રોઝા ( ઉપવાસ) રાખવા, ૫, શકિત શાળી સમૃદ્ધ માણસે હજજ કરવી.બાકીની પાંચ વાતો જેને અમે પૂર્વેથી જ અનુસરતા આવીએ છીએ તે આ છે ,૧ , રાહતમાં શુક્ર કરવો , ર, મુસીબત ટાણે સબ્ર કરવો. ૩, અલ્‍લાહના ફેસલા પર ખુશ રહેવું ૪ , કસોટી વેળા સત્‍યને વળગી રહેવું, ૫ , શત્રુને હસવાની તક ન આપવી.પયગંબર સાહેબે તેમની આ વાતો સાંભળી ફરમાવ્‍યું કે જેણે તમને આ વાતો શીખવાડી તે વિદ્વાન અને જ્ઞાની હતા. હવે બીજી પાંચ વાતો વધુ યાદ કરી પૂરી વીસ કરી લો.૧ , જે વસ્‍તુ ખાવાની ન હોય એને ભેગી ન કરો.ર ૪ જે મકાનમાં રહેવાનું ન હોય એને બનાવશો નહી.૩ , જે વાતો કાલે છૂટી જવાની છે, એમાં હરિફાઇ ન કરો.૪ , અલ્‍લાહથી ડરો , એની પાસે પાછા જવાનું છે.૫ , આખિરતમાં કામ આવે એવી વસ્‍તુઓનો શોખ રાખો ,ત્‍યાં હંમેશા રહેવાનું છે.

No comments: